મોરબી: આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે વિના મૂલ્યે પાણીના 700/- કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથો સાથ શનિવાર હોવાથી સવારે 9/:00 થી બપોરના 11/15વાગ્યા સુધી ધુનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ વડિલોને ચા નાસ્તો પણ દાતા દ્વારા કરાવવામાં આવ્યો હતો.