મોરબી:સમગ્ર દેશ અને દુનિયામાં હાલ ગણેશોત્સવની શાનદાર ઉજવણી ચાલુ છે, ગલી ગલીએ ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયાના નાદ સાથે ભક્તિભાવ પૂર્વક વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાનું પૂજન,અર્ચન અને દર્શન થઈ રહ્યા છે ત્યારે બાળકો માટે સૌથી પ્રિય દેવ એવા ગણેશજી હોય,ગણેશોત્સવની ઉજવવામાં બાળકો કેમ પાછા રહે? માધાપરવાડી કુમાર શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓએ *મારી માટી મારા ગણપતિ* ના ભાવ સાથે સ્વ હસ્તે સુંદર મજાની,મસ્ત મજાની કલાત્મક ગણેશજીની મૂર્તિ બનાવી હતી અને એક બાળકે હૂબહૂ ગણેશજી જેવી વેશભૂષા ધારણ કરી હતી અને ગણેશજીની જેમ પાટલા પર સ્થાન ગ્રહણ કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ નાચ ગાન સાથે ગણેશોત્સવની ગરિમામયી ઉજવણી કરી હતી
આ ઉજવણીમાં શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક ભાઈઓ બહેનો પણ બાળક સાથે બાળક જેવા બની વિઘ્નહર્તા દુંદાળા ગણપતિના ગુણગાન ગાવા અને નાચગાનમાં જોડાયા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...