આજ રોજ ચરાડવા ખાતે આવેલી શ્રી ગીતાંજલી વિદ્યાલય ખાતે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બાળકોએ પોતાના હાથે બનાવીને શાળામાં ગણેશ ઉત્સવની ઉમંગ ભેર ઉજવણી કરી
શાળામાં અભ્યાસ કરતા બધા જ બાળકોએ આ ઉત્સવમાં ભાગ લીધો.જેમાં કાગળમાંથી મૂર્તિ બનાવી. ટપકા જોડી ગણપતિની મૂર્તિ બનાવી. માટીમાંથી વિવિધ મૂર્તિ બનાવી પ્લાસ્ટિક જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર મૂર્તિ બનાવી હતી
આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આપણા ધાર્મિક તેહવાર નું મહત્વ સમજે અને બાળકો પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કરી શકે અને બાળકમાં પડેલી સુષપ્ત શક્તિ નો વિકાસ કરી સકાય તે માટે શાળામાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ સમગ્ર કાર્યકમ ને શાળાના આચાર્ય દ્વારા બધા બાળકોને અભિનંદન આપ્યા હતા.તેમજ શાળાના સ્ટાફ ગણ આ સમગ્ર કાર્યક્રમ ને સુંદર બનાવમાં સહભાગી બન્યા
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...