રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે મોરબીના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ મોરબી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને વિવિઘ સહાય વિતરણનો કાર્યક્રમ શિવ હોલ – મોરબી ખાતે યોજાયો હતો. જે અંતર્ગત ૨૮૦ સખી મંડળોને ૩૬૬.૧૦ લાખની સી.સી.લોન મંજૂર કરવામાં આવી હતી. ૪૧ સખી મંડળોને ૧૨ લાખ રૂપિયાના ચેક રીવોલ્વીંગ ફંડ તરીકે તથા ૪૦ સખી મંડળોને સી.આઈ.એફ તરીકે ૨૩.૯૦ લાખ રૂપિયાના ચેક એમ કુલ ૩૬૧ સખી મંડળોને કુલ રૂપિયા ૪૦૨.૨૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નારી શક્તિના ચરણોમાં વંદન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા શક્તિને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે આજે મોરબી જિલ્લાની અનેક બહેનોને વિવિધ લાભ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી તેમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે હજી પણ તેમના કર કમલોથી રાષ્ટ્ર કલ્યાણના અનેક કાર્યો થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં તેમની વડનગર થી વોશિંગસ્ટન સુધીની સફળ યાત્રાને પણ આ તબક્કે તેમણે વધાવી લીધી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાઈ જણાવ્યું હતું કે સરકારે પ્રજાની હંમેશા ચિંતા કરી છે. બહેનોના વિકાસ માટે તથા રોજગારી માટે સ્વ સહાય જૂથો દ્વારા બહેનો પગભર બને તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ વણથંભી વિકસયાત્રામાં સૌને સહકાર આપવા પણ આ તકે તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે જૂથોને વિવિધ પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને પણ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વધુમાં આઇ.ટી.આઇ મોરબી ખાતે વર્ષ- ૨૦૨૨ માં પાસ થયેલા પ્રથમ અને દ્વિતિય ક્રમ મેળવેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પની પણ મંત્રીએ મુલાકાત લઇ જનરલ ચેકઅપ કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગોહિલે કર્યો હતો. આભારવિધિ મોરબી પ્રાંત અધિકારી ડી.એ ઝાલાએ કરી હતી.
રાજકોટ: પગભર ટીમ અને સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળ સયુંકત ઉપક્રમે મેન્સટુયુઅલ અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ૬૦થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને પીરીયડસ ઉપરાંત મહિલાઓને પગભર એ દાદાજી ગ્રુપ ઓફ કંપનીઝનું એક સાહસ છે, જે મહિલા માટે મહિલાઓથી અને મહિલા દ્વારા ચાલતું સાહસ છે જે વિદ્યાર્થીઓમાં...
મોરબી: લોકસભાની ચુંટણીના મતદાનના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આવતીકાલ તા.૩૦-૦૪- ૨૦૨૪ મંગળવારના રોજ સાંજે ૫ કલાકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યલય, ઉમા ટાઉનશીપ ખાતે મોરબી લોહાણા સમાજના આગેવાનો તથા લોકોની સાથે કચ્છ લોકસભા બેઠકનાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ મીટીંગમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા...
મોરબી: ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા ગરીબ પરિવારોની બહેનોને તેઓ પોતાની રોજી રોટી મેળવી શકે તથા સમાજમાં અને પોતાના કુટુંબમાં ઉપયોગી થાય તેવી ભાવના સાથે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા છે.
આજે તા. ૨૯-૦૪-૨૦૨૪ ના...