મોરબી: મોરબી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોવાથી અવની ચોકડી પાસે સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલીકા વિસ્તારનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના બે ફુટના ઓટલા ઉપરાંત છ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા રોડની બહાર કાઢવામાં આવેલ છે, તે ઉપરાંત તે દુકાનોના ગ્રાહકોનાં વાહન પાર્કીંગ પણ છ ફુટના ઓટલાથી આગળ ચાર ફુટ સુધી કરવામા આવતુ હોવાથી રાહદારી રસ્તો એકદમ સાકડો બની જતો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે સાકડા રસ્તા ઉપરથી પસાર થવુ પડે છે. તેમજ આજુબાજુની સોસાયટીની બહેનો દિકરીઓને પણ ના છુટકે આવા ગેરકાયદેસર દબાણના કારણે સાકડા રસ્તાના કારણે ત્યા થી ફરીને પસાર થવુ પડે છે.
જ્યારે આજુબાજુની સોસાયટીના નાના બાળકો માટે તો ત્યાથી પસાર થવુ અત્યંત જોખમી બની ગયેલ છે અને વારંવાર આ ગેરકાયદે દબાણના કારણે અકસ્માતનાં બનાવો પણ બને છે. તથી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને આ અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે.
તેમજ અવની ચોકડી પાસેની સોસાયટીના રહીશો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે નરસંગ ટેકરી થી હિરાસરી સુધીનો રોડ થવાનો હોય તથા અવની ચોકડીથી હનુમાન મંદિર સુધીનો રોડ કરવાનો હોય તો રોડ થાથ તે પહેલાં આ વધારાના દબાણો દૂર કરવા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...