મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિએશન દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મોરબી વકીલમંડળના પ્રમુખ દીલીપભાઈ અગેચણીયાની આગેવાની હેઠળ યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમા ન્યાયધીશો સહિત સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી હતી.

મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિયેશનના પ્રેસિડેન્ટ દીલીપભાઈ અગેચણીયા અને તેમની ટીમ દ્રારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા બાર એશોસિએશન રુમમા સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજશ્રી મહિડા તેમજ પ્રિન્સિપાલ ફેમિલી જજ વાનાણી સેશન્સ જજ પંડયા તથા પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજ ઈજનેર તેમજ કાનુની સેવા સતામંડળના જજ પારેખ એડિશનલ ચિફ જજ ખાન- ચંદનાણી તેમજ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જજ જાડેજા તથા સ્વામી અને સરકારી વકીલ જાની તથા દવે તથા સિંધ સહિત સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી અને તમામ ન્યાયધીશોએ ધારાશાસ્ત્રીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમા મોરબી બાર એશોસિયેશનના પ્રમુખ દિલિપભાઈ અગેચણીયા તથા ઉપપ્રમુખ તેજસભાઈ દોશી તથા જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા તથા કારોબારી સભ્ય બ્રિજરાજસિંહ સહિતનાઓએ ન્યાયધીશોને અરસપરસ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img