મોરબી: મોરબીમાં સતનામ નગર સોસાયટી અને ધર્મભૂમિ સોસાયટીને જોડતો 7.50 મીટર પહોળો રસ્તો બંધ કરેલ હોવાથી વાહન આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી સતનામ સોસાયટીના રહીશો દ્વારા આ રસ્તો શરૂ કરવા મોરબી નગરપાલિકાને લેખીત રજુઆત કરી હતી છે.
મળતી માહિતી અનુસાર સતનામ સોસાયટીના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીતમાં રજૂઆત કરી છે કે સતનામ નગર સોસાયટી પંચાસર રોડ અને ધર્મભૂમિ સોસાયટી વચ્ચે જોડતો 7.50 મી. નો રસ્તો હાલ બંધ કરેલ છે તો સતનામ સોસાયટી, સેમ રેસીડેન્સ જેવી ઘણી બધી સોસાયટીની વાહન વ્યવહાર માટે મુશ્કેલી પડે છે અને ધર્મ ભૂમિ સોસાયટીના લોકો દ્વારા રસ્તો બંધ કરેલ છે આવા નવર રસ્તો ખુલ્લો કરવાની કોશિશ કરતા ધર્મભૂમિ સોસાયટીના રહીશો ઝઘડો કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કે મોરબી પંચાસર રોડ મુનનગર આગળ આવેલા સતનામ નગર સોસાયટી અને બાજુમાં આવેલ ધર્મભૂમિ સોસાયટી વચ્ચે એક શેરીનાં રસ્તા બાબતે ઘણા સમયથી વિવાદ ચાલતો આવી રહ્યો છે ત્યારે ધર્મભૂમિ સોસાયટીની એક શેરીમાં આડશો ઉભી કરી વાહનોની આવજા કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આ બંધ રસ્તાને કારણે અવારનવાર બન્ને સોસાયટીનાં રહીશો વચ્ચે બોલાચાલી અને ચણભણ થતી રહે છે છતાં પણ ધર્મભૂમિ સોસાયટી દ્વારા રસ્તો બળજબરીથી આડસો ઊભી કરી બંધ કરી દેવામાં આવતા અંતે સતનામ સોસાયટીનાં લોકો દ્વારા કાયદાકીય રીતે પોતાની શેરીનો રસ્તો ખુલ્લો કરવા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. હવે ચીફ ઓફિસર ક્યારે આ રસ્તો ખુલ્લો કરાવશે એ જોવુ રહ્યુ.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...