મોરબી: ગઈ કાલ તા. ૦૧-૦૭-૨૦૨૩ ને શનીવાર ના રોજ મોરબીના નવા ડેલા રોડ પર આવેલા શ્રી વિશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો દ્રિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી. અને તપસ્વીઓ, દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો પ્રોત્સાહિત કરવા માટે શેઠ પ્રવીણભાઈ રવિચંદભાઈ અમદાવાદી તથા ભાવનાબેન પ્રવિણભાઈ અમદાવાદી પરીવાર તેમજ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે સરસ્વતી સન્માન સમારોહ પુર્ણ થયા બાદ સમસ્ત મોરબી સુખડીયા જ્ઞાતી દ્વારા ભોજન કરી છુટા પડ્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...