આગામી તા.03.09.22 ના રોજ લાલબાગથી જિલ્લા સેવાસદન સુધીની મહારેલીમાં તમામ શિક્ષકો અને તમામ કર્મચારીઓને જોડાવવા શૈક્ષિક મહાસંઘ દ્વારા અપીલ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા માં જિલ્લાના અને તાલુકા દરેક કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અંતર્ગત શિક્ષકનો પ્રાણ એવો પ્રશ્ન જુની પેન્શન યોજના લાગુ કરવા માટે અને સાતમા પગાર પંચ મુજબ ભથાઓ આપવા માટે પ્રશ્નોની આજરોજ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી.
મિટિંગની શરૂઆત સૌ પ્રથમ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠનમંત્રથી કરવામાં આવી , ત્યારબાદ મોરબી જિલ્લાના મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા મીટીંગની અંતર્ગત મહત્વમાં મુદ્દાઓની ઝાંખી આપવામાં આવી અને મોરબી જિલ્લાના દરેક તાલુકાના અધ્યક્ષ અને મંત્રીઓ દ્વારા આવનારી જિલ્લા કર્મચારી મહા મંડળે આપેલી રેલીનું આયોજન કેવી રીતના કરવું અને તેના મંતવ્યો રજૂ કર્યા . દરેક કાર્યકર્તાઓએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા અને કાર્યક્રમને સફળ કેવી રીતે બનાવો?તે મુદ્દાઓની ગહન ચર્ચા કરવામાં આવી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દરેક કાર્યકર્તાઓને આ રેલીમાં દરેક સ્કૂલ સુધી પહોંચી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોને જોડવા માટે આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના બેનરો બનાવી અને બેનરો સાથે રેલીની અંદર દરેક શિક્ષકોને જોડવાનું છે તે દરેક તાલુકાના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ મીટીંગને આગળ વધારવા માટે જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, સંગઠનની ગરિમા શું છે? તેનું મહત્વ આપવામાં આવ્યું અને સંગઠન કઈ રીતે કામ કરે છે તેની ઝાંખી આપવામાં આવી, ત્યારબાદ મીટીંગનો દોર મોરબી જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા આગામી ૦૩/૦૯/૨૦૨૨ તારીખના રોજ રેલીનું આયોજન કેવી રીતના કરવું તેની રૂપરેખા રજૂ કરી અને કલ્યાણ મંત દ્વારા મીટીંગ ની પૂર્ણ કરી જે હિતેશભાઈ પાંચોટિયા જિલ્લા પ્રચાર મંત્રી દ્વારા જણાવવામાં આવે છે.
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...