મોરબીમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સવારના સમયે નવા બસસ્ટેન્ડની પાછળના તરફની દીવાલ ધરાશાયી થતા એસટી વિભાગે દીવાલ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલી દીવાલ બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ધરાશાયી થયા મોરબી એસટી વિભાગે તાબડતોબ આ દીવાલના કાટમાળને હટાવી નાખીને રાહદારીઓ માટેનું જોખમ દૂર કર્યું હતું.
વાંકાનેર: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારાગુરુ વંદનાનો કાર્યક્રમ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતેયો જવામાં આવેલ જેમાં વનીતા વૃંદ માનવસેવા મહિલા પરિવાર જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ દમયંતીબેન મહેતા મહેમાનમાં ઉપસ્થિત હતા ગાયત્રી મંદિરના મહંત અશ્વિન બાપુ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમમાં મહંત અને શિક્ષક મંગલદાસજી બાપુનું ગુરુ શિષ્ય સંબંધ અને સાચા ગુરુ તરીકે...