સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા”એ સૂત્ર ને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાન થી વિસ્થાપિત થયેલ બાંધવો ને ભારતીય નાગરિકતા મળે એ હેતુ થી તેમની સહાયતા અર્થે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રના શુભારંભનું આયોજન તા.11/04/ 2024 ને ગુરુવારે સાંજે 5:00 વાગ્યે જૂના શિશું મંદિર,,મોરબી ખાતે થયેલ. કાર્યક્રમની શરૂઆત માં હિરેન ભાઈ વિડજા દ્વારા પ્રસ્તાવના આપવામાં આવેલ.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનો નું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું..આ કાર્યક્રમમાં ડો.જન્તીભાઈ ભાડેસિઆ સાહેબ ( પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક – આર એસ એસ) તેમજ પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય – રાપર) દ્વારા CAA 2019 ની સંપૂર્ણ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવેલ.તેમજ પ્રેમ સ્વામિ (સંસ્કાર ધામ – મોરબી) દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શ્રી જયંતીભાઈ કવાડિયા ( ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ) શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા વિપુલભાઈ અઘારા ( પ્રાંત પ્રચાર પ્રમુખ – આર.એસ.એસ) ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં ઉપસ્થિત વિસ્થાપિત હિન્દુ બાંધવો ને ભારતમાતા ના ફોટા આપી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની આભાર વિધિ જે.પી. જેસ્વાણી દ્વારા કરવામાં આવેલ.તેમજ આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ ને સફળ બનાવવા વિસ્થાપિત હિન્દુ સહાયતા સમિતિએ ખૂબ જહેમત ઉઠાવેલ.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...