હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, અને ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોએ પોતાનો પાક લેવા માટે વાવણી શરૂ કરી દીધી હોય છે. ત્યારે હાલ મોરબીમાં વરસાદ ખેંચાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ટંકારાના પરેશભાઈ ઉજરિયા એ ખેડૂતોના વીજળીના પ્રશ્નો જલ્દી હલ કરવા માટે રજૂઆત કરી છે.
પરેશભાઈ ઉજરિયા એ ટંકારા પીજીવીસીએલ ના ડેપ્યુટી ઈજનેર (ખેતીવાડી શાખા) ને લેખિતમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ખેતીવાડી માટે ના કનેક્શનો મંજુર થયેલ હોય પરંતુ ટીસી ની અછત તથા અન્ય વીજ કનેક્શન ના અભાવના કારણે ખેડૂતોને હજુ સુધી પૂરતી વીજળી મળતી નથી અને ખેડૂતોને હાલ વીજ કનેક્શનની ખૂબ જ જરૂર હોય ત્યારે આ તમામ પ્રશ્નોનો તાત્કાલિક હાલ કરવા માટેની રજૂઆત કરી છે. વધુમાં તેઓ કહે છે કે ખેડૂતો દ્વારા અવારનવાર પીજીવીસીએલ કચેરીમાં ટીસીની માંગણી કરી હોય અને મંજૂર પણ થઈ ગયેલા હોય છતાં પણ ટીસી આપવામાં પીજીવીસીએલ દ્વારા વિલંબ કરવામાં આવે છે.જેથી આ તમામ પ્રશ્નોનો હલ કરવા માટે પરેશ ઉજરીયા એ લેખિતમાં રજૂઆત કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...