હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, અને ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોએ પોતાનો પાક લેવા માટે વાવણી શરૂ કરી દીધી હોય છે. ત્યારે હાલ મોરબીમાં વરસાદ ખેંચાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ટંકારાના પરેશભાઈ ઉજરિયા એ ખેડૂતોના વીજળીના પ્રશ્નો જલ્દી હલ કરવા માટે રજૂઆત કરી છે.
પરેશભાઈ ઉજરિયા એ ટંકારા પીજીવીસીએલ ના ડેપ્યુટી ઈજનેર (ખેતીવાડી શાખા) ને લેખિતમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ખેતીવાડી માટે ના કનેક્શનો મંજુર થયેલ હોય પરંતુ ટીસી ની અછત તથા અન્ય વીજ કનેક્શન ના અભાવના કારણે ખેડૂતોને હજુ સુધી પૂરતી વીજળી મળતી નથી અને ખેડૂતોને હાલ વીજ કનેક્શનની ખૂબ જ જરૂર હોય ત્યારે આ તમામ પ્રશ્નોનો તાત્કાલિક હાલ કરવા માટેની રજૂઆત કરી છે. વધુમાં તેઓ કહે છે કે ખેડૂતો દ્વારા અવારનવાર પીજીવીસીએલ કચેરીમાં ટીસીની માંગણી કરી હોય અને મંજૂર પણ થઈ ગયેલા હોય છતાં પણ ટીસી આપવામાં પીજીવીસીએલ દ્વારા વિલંબ કરવામાં આવે છે.જેથી આ તમામ પ્રશ્નોનો હલ કરવા માટે પરેશ ઉજરીયા એ લેખિતમાં રજૂઆત કરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...