છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ, ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે
મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે. જેમાં સયુંકત પરિવારની પ્રથાને બચાવવાની થીમ ઉપર આ આખો કાર્યક્રમ યોજાશે અને આ છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ કરાઈ છે. જેમાં ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે.
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર ખાતે આવેલ વરિયા મંદિરે આવતીકાલે તા.24 જુનને શનિવારે સાંજે 7-30 કલાકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ અને વડીલ વંદના સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પૂરતો જ સીમિત નહિ રહે. આ કાર્યક્રમમાં સયુંકત કુટુંબની પ્રથા બચાવવાનો મૂલ્યવાન સંદેશ આપવામાં આવશે. જેમાં આજકાલ થોડી ઘણી કુટુંબમાં કલેશ થાય તો પણ પરિવારનો માળો વિખાઈ જાય છે અને વિભક્ત કુટુંબ પ્રથા ખૂબ જ અમલી બની છે. જ્યાં જુઓ ત્યાં વિભક્ત કુટુંબ જ જોવા મળે છે. સયુંકત કુટુંબ તો ક્યાંક જ જોવા મળે છે. આજની તારીખે પણ જે ત્રણ ત્રણ પેઢી સાથે મોટો સયુંકત પરિવાર સાથે રહે છે તે વડીલોનું કુનેહ અને સૂઝબૂઝનું પરિણામ છે. આથી આવી ત્રણ ત્રણ પેઢીને એક તાંતણે બાંધીને સયુંકત પરિવારને જીવંત રાખનાર આદરણીય સમાજના વડીલોનું ગૌરવભેર સન્માન કરાશે. આવા 20 વધુ સયુંકત પરિવાર છે તેના વડીલીનું ઉષ્માભર્યું સન્માન કરાશે. આ ઉપરાંત 1થી કોલેજ સુધીના 80 તેજસ્વી સમાજના વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાશે. સમાજના પ્રથમ સીએ બન્યા હોય તેનું અને ત્રણ ડોકટરોનું પણ સન્માન કરાશે. ખાસ સયુંકત પરિવારને બચાવવા માટે સુંદર મજાનું નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...