છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ, ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે
મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે. જેમાં સયુંકત પરિવારની પ્રથાને બચાવવાની થીમ ઉપર આ આખો કાર્યક્રમ યોજાશે અને આ છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ કરાઈ છે. જેમાં ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે.
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર ખાતે આવેલ વરિયા મંદિરે આવતીકાલે તા.24 જુનને શનિવારે સાંજે 7-30 કલાકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ અને વડીલ વંદના સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પૂરતો જ સીમિત નહિ રહે. આ કાર્યક્રમમાં સયુંકત કુટુંબની પ્રથા બચાવવાનો મૂલ્યવાન સંદેશ આપવામાં આવશે. જેમાં આજકાલ થોડી ઘણી કુટુંબમાં કલેશ થાય તો પણ પરિવારનો માળો વિખાઈ જાય છે અને વિભક્ત કુટુંબ પ્રથા ખૂબ જ અમલી બની છે. જ્યાં જુઓ ત્યાં વિભક્ત કુટુંબ જ જોવા મળે છે. સયુંકત કુટુંબ તો ક્યાંક જ જોવા મળે છે. આજની તારીખે પણ જે ત્રણ ત્રણ પેઢી સાથે મોટો સયુંકત પરિવાર સાથે રહે છે તે વડીલોનું કુનેહ અને સૂઝબૂઝનું પરિણામ છે. આથી આવી ત્રણ ત્રણ પેઢીને એક તાંતણે બાંધીને સયુંકત પરિવારને જીવંત રાખનાર આદરણીય સમાજના વડીલોનું ગૌરવભેર સન્માન કરાશે. આવા 20 વધુ સયુંકત પરિવાર છે તેના વડીલીનું ઉષ્માભર્યું સન્માન કરાશે. આ ઉપરાંત 1થી કોલેજ સુધીના 80 તેજસ્વી સમાજના વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાશે. સમાજના પ્રથમ સીએ બન્યા હોય તેનું અને ત્રણ ડોકટરોનું પણ સન્માન કરાશે. ખાસ સયુંકત પરિવારને બચાવવા માટે સુંદર મજાનું નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...