મોરબીના લખધીરપુર પોલીસ ચોકી પાસે પોલીસ પેટ્રોલીગમાં હોય ત્યારે બાતમીના આધારે એક કારને ચેક કરતા તેમાંથી 58 દારૂની બોટેલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા
મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે લખધીપુર પોલીસ ચોકી નજીકથી કારમાં દારૂની હેરાફેરી થવાની હોય ત્યારે પોલીસ વોચમાં હોય ત્યારે GJ 27 AA 4023 નંબરની અર્ટીગા કાર શકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે રોકીને તેને ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની 58 દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 61 હજાર તેમજ કારની કિમત રૂપિયા 2 લાખ તેમજ કારમાં બે શખ્સો કાનજીભાઈ ઉર્ફે કાનો જસભાઈ ડોડીયા અને ભાવેશભાઈ નીરુભાઈ જાદવ સહિતના બને શખ્સો સહિત રૂપિયા2.61 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે આ દારૂ કયાંથી આવ્યો ક્યાં જતો હતો તે અગેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...