મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો કરીને એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન પીપળી રોડ પર ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે રેડ કરી હતી જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ મળી આવતા એલસીબી ટીમે ૩૦,૩૦૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભા વાઘેલાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...