મોરબી: વિશ્વભરના જૈનોના આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે તાજેતરમાં થયેલ તોડફોડ તથા ભગવાન આદિનાથ ના પગલાને ખંડીત કરવાના કૃત્યનો વિરોધ કરીએ છીએ અને સમગ્ર ઘટનાને વખોડી અને જવાબદારો સામે પગલા ભરવા અને ફરી આવી ઘટના નો બનવા પામે તેવા પગલા લેવા સમગ્ર જૈન સમાજની માંગણી સાથે મોરબી જૈન સમાજ દ્વારા નીચે મુજબ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
મોરબીના જૈન સમાજ દ્વારા પાલીતાણાની બાજુમાં આવેલ રોહીશાળા સ્થિત પ્રથમ તીર્થંકર યુગાદિદેવ આદેાર ભગવાનના પગલાને ખંડીત કરી જૈનોની શ્રધ્ધાને ઠેસ પહોંચાડેલ છે આવું કૃત્ય કરનારા અસામાજિક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવી. શત્રુંજય ગીરીરાજ ઉપર અમારા ગઢ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી અને દહેશત ફેલાવેલ છે તેમા જવાબદાર શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી, શત્રુંજય ગીરીરાજની આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર જમીનના મનનને રોકી વન વિભાગની માલિકીની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે અન્ય બીજાના વ્યક્તિગત નામ ઉપર જમીન ટ્રાન્સફર કરનાર ભ્રષ્ટ અધિકારીઓ વિરુધ્ધ તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરવી.
આવા અસામાજિક તત્વો દ્વારા સ્થાનીક ગ્રામજનોને ખોટીરીતે બહેકાવી એકબીજા વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો અને અશાંતિનું વાતાવરણ ઉભુ કરવાનું જે ષડ્યત્ર ચાલે છે તેવા વૈમનસ્ય ફેલાવનારા શખ્સો વિરુધ્ધ કાર્યવાહી કરવી ઈનવર્ડ કલા કલેક્ટર કચોરી, ગુજરાત સરકારે થોડા સમય પહેલા પાલીતાણાને સમગ્ર વિશ્વનું સૌ પ્રથમ ૧૦૦% શાકાહારી શહેર જાહેર કરી દારૂ અને માંસાહાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરેલ છે તેની અમલ કરાવવા મોબી જીલ્લ}, તળેટી વિસ્તારમાં બાબુના જૈન મંદિરની આસપાસ જે જમીન ઉપર ગેર કાયદેસર કબજો કરેલ છે. તેઓને લેન્ડ બેકીંગના કાયદા હેઠળ આવા શખ્સો વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...