આગામી રવિવારે તા.17 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય,કૂતરાઓ,બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની કુંડીઓનું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવા માં આવશે. આ કુંડીમાં 8થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે.
કુંડીઓનું વિતરણની 17 એપ્રિલ, રવિવાર સવારે 10 વાગ્યેથી સુભાષ ચોક, સરદાર બાગની સામે, ૐ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ મોરબી ખાતેથી કરવામાં આવશે. આ વિતરણમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જણાવ્યું છે.
વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત સાથે એક શખ્સે પોતાના UPI નો ઉપયોગ કરી વૃદ્ધ સાથે ઓનલાઇન ફ્રોડ કરી યુવકના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 77728 પડાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પલાસડીના માર્ગે રહેતા અને ખેતી કરતા હૈદરઅલી આહમદભાઈ...
મોરબી શહેરમાં અનેક ફ્રોડના કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ છતાં લોકો અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી પોતાની કમાણીના રૂપીયાનો બગાડ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફ્રોડનો વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમા ત્રણ શખ્સોએ યુવક તથા સાહેદોને મારૂતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો...