આગામી રવિવારે તા.17 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય,કૂતરાઓ,બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની કુંડીઓનું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવા માં આવશે. આ કુંડીમાં 8થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે.
કુંડીઓનું વિતરણની 17 એપ્રિલ, રવિવાર સવારે 10 વાગ્યેથી સુભાષ ચોક, સરદાર બાગની સામે, ૐ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ મોરબી ખાતેથી કરવામાં આવશે. આ વિતરણમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જણાવ્યું છે.
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...
મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)...