વાવડીના ગામના પાટીયા થી નારણકા સુધી ડામર પટી રોડ પેચવર્ક કરવા બાબતે કાર્યપાલ ઇજનેર ને આવેદન આપવામાં આવ્યું
મોરબી તાલુકાના વાવડી ના પાટીયા થી ખીજડીયા વનાળીયા નારણકા સુધી ડામર રોડ છે તે વાવડી ના પાટીયા થી વનાળીયા સુધીની ડામર પટ્ટી રોડ ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાક્ટર પાસેથી તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેમજ વનાળીયા થી માનસર,નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-3 ની પાઈપ લાઈન જે રોડ ક્રોસ કરે છે તે પણ રિપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ગોર-ખીજડીયાનાં સરપંચ ગૌતમ મોરડીયા દ્વારા કરવામાં આવી છી તેમજ વધુમાં આ રોડ પર મોટા મસમોટા ખાડા પડી ગયા હોય અવાર-નવાર મોટરસાયકલ સવારો પડી જવાના બનાવો બનતા હોય છે આ રોડ પર રોજ બરોજ ધંધાર્થે કેટલાક યુવાનો મોરબી ખાતે જતા હોય ત્યારે ભવિષ્યમાં કોઇ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સત્વરે આ રોડ રીપેરીંગ કરવો ખૂબ જરૂરી હોય તે માટે આ રોડ હું સત્વરે રીપેરીંગ કરવાની માંગ કરાઇ છે
હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.
જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:
રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ,...
આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે...
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ...