Saturday, June 28, 2025

ટંકારામાં આર્યવીર દળ દ્વારા ગુરુવારે શહીદ દિવસ નિમિતે મશાલ રેલી યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા શહીદ દિવસ નિમિતે દેશના વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મશાલ રેલી યોજાશે જે રેલીમાં દરેક નગરજનોએ જોડાવવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

ટંકારા આર્યવીર દળ દ્વારા તા. ૨૩ માર્ચને ગુરુવારે રાત્રીના ૮ કલાકે વિદેશી અંગ્રેજ શાસકોને ભારતમાંથી હાંકી કાઢવા પ્રાણોની આહુત આપનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજના યુવાનમાં દેશદાઝની ભાવના જન્મે અને માતૃભુમી માટે પ્રાણ પણ ન્યોછાવર કરી સકે તેવી ભાવના સાથે મશાલ રેલી યોજાશે જે મશાલ રેલી આર્ય નગર ધર્મ ભક્તિ સોસાયટી ખાતેથી રાત્રીના ૮ કલાકે પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી આર્ય સમાજ ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ તકે બહોળી સંખ્યામાં હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે. મશાલ રેલીના કાર્યક્રમને સફળ બનાવવા આર્યવીર દળના ચેતન સાપરીયા, પંડિત સુહાસજી, રજનીકાંત મોરસાણીયા, યોગેશ કારાવડિયા, હસમુખભાઈ દુબરીયા, ભાવેશ ગઢવી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર