ટંકારા: ટંકારામાં હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે ટંકારાના મુખ્ય માર્ગો પર ફરી હતી.
આજે રામનવમીના પાવન પર્વે ટંકારામાં દેરીનાકા રોડ, મેઇન બજાર, દેરાસર રોડ, ત્રણ હાટડી શેરી, લોવાસ, ગાયત્રીનગર, સહીત તમામ બજારો શેરીઓ કેસરી ધજાપતાકા તથા કમાનોથી શણગારવામાં આવ્યા હતા દયાનંદ ચોકમાં રોશની કમાનો તથા વિશાળ બેનરો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં ધ્રુવનગર રાજવી પરિવારના આનંદ રાજા, ટંકારા તાલુકાના સરપંચ, આગેવાનો, ઉપદેશક, તેમજ સમસ્ત હિંદુ સમાજના લોકો કેસરી સાફો અને કેસરી ધજા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા ટંકારાના વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના વેપાર દુકાનો બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ આ શોભાયાત્રાનું ઠેર ઠેર ઠંડા પીણા, દૂધ કોલ્ડ ડ્રિંક્સ, છાસથી સ્વાગત કરાયેલ.ત્રણ હાટડી શેરીમાં રહેવાસીઓએ શોભાયાત્રાના રૂટમાં રંગોળીઓ બનાવી તથા અગાસીમાંથી બહેનો દ્વારા ગુલાબની ફૂલના પાંદડીઓ વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દયાનંદ ચોકમાં યુવાનોએ, બહેનોએ રાસ લીધો હતો. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને દહીં તથા પંજરીની પ્રસાદી વિતરણ કરાઈ હતી.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...