પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી વિષે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
માળીયા(મી.) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા દ્વારા ટી.બી વિષે જન જાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલેન્સ કામગીરી કરવામાં આવી હતી.તેમજ ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.કોઈ વ્યક્તિમાં ટી.બી.ના લક્ષણ જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરી નિ:શુલ્ક સારવાર લેવા મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા પોતાના વિસ્તારનાં ગામોમાં ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ અને શંકાસ્પદ ટી.બી કેસ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.જે.ટી.પટેલ માધ્યમિક હાઈસ્કૂલ મોટાભેલામાં ચિત્ર સ્પર્ધા થકી જન જાગૃતિ લાવવામાં આવી હતી.આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટીબીની સેવાઓ માટેનુ 21 દિવસનું કેમ્પેઈન તા.24 માર્ચ થી 13 એપ્રીલ અંતર્ગત જનજાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલન્સ કામગીરી ફિલ્ડ સ્ટાફ દ્વારા ચાલુ કરવામાં આવી છે.આ સાથે જન જાગૃતિ થાય એ માટે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા દ્વારા આરોગ્ય શિક્ષણ,સોશિયલ મીડિયા દ્વારા આરોગ્ય પ્રચાર પસાર કરવામાં આવ્યો.
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પલેક્ષમા આવેલ “સ્પર્શ સ્પા એન્ડ સલુન" બોડી મસાજ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ મોરબી AHTU ટીમે શોધી કાઢી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે “ નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા...
મોરબી જિલ્લામાં લોકોમાં દેશભક્તિનો માહોલ ઉભો કરવા આગામી ૦૮ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.
આઝાદીના ૭૯ માં વર્ષના ભાગરૂપે પ્રજાના હૃદયમાં દેશભક્તિની લાગણી ઉત્પ્રેરિત કરવા તથા તિરંગા વિશે...
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગકોડના ધારા -ધોરણ મુજબ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી....