મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી, જેમાં 35 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેરમાં કાઠીયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમમાં તેમજ શ્રી મા. બા. વૃદ્ધાશ્રમમાં જીવન જરૂરિયાત વસ્તુઓની 135 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં સાબુ, બોડી લોશન, કપડાં ધોવાનો સાબુ અને પાઉડર, બામ, વિક્સ, મચ્છર અગરબત્તી ચપલ અને મોજા સાથે ફળો , અનાજ અને ખીચડી સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપવામાં આવ્યા હતા. સાથે વડીલો અને બાળકો સાથે નાસ્તો અને ફટાકડા ફોડીને દિવસ પસાર કર્યો હતો.
વધુમાં નોંધવું રહ્યું કે AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી કાર્યક્રમ અત્યાર સુધી ગુજરાત ના 18 શહેરોમાં કરવામાં આવી ચુક્યો છે.
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...