મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી, જેમાં 35 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેરમાં કાઠીયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમમાં તેમજ શ્રી મા. બા. વૃદ્ધાશ્રમમાં જીવન જરૂરિયાત વસ્તુઓની 135 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં સાબુ, બોડી લોશન, કપડાં ધોવાનો સાબુ અને પાઉડર, બામ, વિક્સ, મચ્છર અગરબત્તી ચપલ અને મોજા સાથે ફળો , અનાજ અને ખીચડી સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપવામાં આવ્યા હતા. સાથે વડીલો અને બાળકો સાથે નાસ્તો અને ફટાકડા ફોડીને દિવસ પસાર કર્યો હતો.
વધુમાં નોંધવું રહ્યું કે AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી કાર્યક્રમ અત્યાર સુધી ગુજરાત ના 18 શહેરોમાં કરવામાં આવી ચુક્યો છે.
મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે તેવામાં ગયકાલે શહેરમાં વરસાદ વરસતા શહેરના મોટાભાગના રસ્તા પર ચાલવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ત્યારે મોરબીના માધાપર રોડ પર આવેલ જડેશ્વર મંદિર પાસે શહેરીજનોએ ખાડામાં ભાજપનો ઝંડો ખોડી અનોખો વિરોધ કર્યો હતો ખરાબા રોડ રસ્તાથી કંટાળી ગયેલા લોકોએ ભાજપનો...
મોરબી તાલુકાના બેલા ગામ પાસે યુવક તથા તેનો મિત્ર શેરીમાં બેઠલ હોય ત્યારે મિત્ર સાથે મશ્કરીમાં આરોપી ગાળો બોલતો હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવકને લાકડીઓ વડે મારમારી છુટા પથ્થરના ઘા મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં...