મોરબી: નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા ‘રમઝટ’ નવયુગ નવરાત્રિનું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ, રામોજી ફાર્મના ગ્રાઉન્ડમાં તા.30-09-2022 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા ભૂલાકાઓથી લઇને મોટા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ટ્રેડીશનલ ડ્રેસિસ સાથે સંગીતના સૂરે તાલ મિલાવી મન મૂકીને ગરબે રમી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.
નવરાત્રિ ઉજવણીમાં નિર્ણાયક જજ તરીકે કૌશિકાબેન રાવલ, ફેનાબેન પટેલ અને મનીષભાઈ ભોજાણી ઉપસ્થિત રહયા હતા. નવયુગ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધો હતો તેને પ્રોત્સાહન ઇનામોની વણઝાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ એકસન જેવા ગૃપ પ્રમાણે કે.જી થી 2, 3 થી 5, 6 થી 8, 9 થી 12 ગર્લ્સ/બોયઝના મેગા એવોર્ડ્સ જાહેર કરી વિવિધ ઇનામો સાથે નવાજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા, રંજનબેન કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા ખાસ ઉપસ્થિત રહયા હતા.
નવયુગના જ ધોરણ-12 કોર્મસના વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી,સમોસા સ્ટોલ,આઇસ્ક્રીમ,ચા,કોફી,સેન્ડવીચ,ઘુઘરા,ભુંગરા બટેટા ઠંડાપીણા અને વેફર્સના સ્ટોલ બનાવી પોતાની પ્રતિભાને વિકસીત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયનો ઓફીસસ્ટાફ તથા સમગ્ર સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
મોરબી સૌ ભણે,સૌ આગળ વધેના ધ્યેય સૂત્ર સાથે વર્ષ 2001/02 માં સમગ્ર શિક્ષા અભિયાનની શુભ શરૂઆત થયેલ હતી,એ સમયે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિનિયુક્તિથી સીઆરસી બીઆરસી તરીકે નિમણુંક આપવાની એસએસએ દ્વારા શરૂઆત કરવામાં આવેલ.
આ ટીમે વર્ષ 2017 સુધી સમગ્ર શિક્ષા અભિયાનના અનેક કાર્યક્રમો જેવા કે વિસ દિવસીય શિક્ષક...
માળીયા મીંયાણામા રહેતા યુવકને એક શખ્સ સાથે આગલા દિવસે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સો ક્રેટા કારમાં આવી યુવક સાથે બોલાચાલી ઝઘડો કરી યુવકને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધરીયા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઇ...
સૌરાષ્ટ્રમાં મોરબી અને કચ્છ જીલ્લાએ ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે તેમા પણ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્ર હોવાથી પ્રવાસીઓ બહોળી સંખ્યામાં કચ્છની મુલાકાત લેતા હોય છે ત્યારે તેમની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખી રાજકોટ ભુજ વચ્ચે માર્ચ-જુનમાં શરૂ કરેલી ખાસ ટ્રેન બંધ કરવામાં આવી હતી તેને ફરીથી સમય મર્યાદામાં અઠવાડીયામાં...