ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા લાઉડ સ્પીકરથી ચોર-ચોરની બૂમો પડતા લુંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરી મંદિરની દાનપેટી લઈ અંધારામાં ઓગળી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના એકાદ વાગ્યે પાંચથી છ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ મંદિરમાં કોઈ કિંમતી ચીજવસ્તુ કે આભૂષણો હાથ ન લાગતા તસ્કરોએ કોશ વડે દરવાજો તોડવાનું શરૂ કરતા મંદિરના પૂજારી કિશોર મહારાજ જાગી ગયા હતા.
બીજી તરફ લૂંટારુઓને પામી ગયેલા કિશોર મહારાજે લાઉડ સ્પીકરમાં ચોર ચોરની બૂમો પાડવાનું શરૂ કરતા તસ્કર કમ લૂંટારૂઓએ કોશ વડે પૂજારી ઉપર હુમલો કરતા ગ્રામજનોએ તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યા દશેક ટાકા આવ્યા નુ જાણવા મળ્યું છે. દરમિયાન પૂજારી ઉપર હુમલો કર્યા બાદ લૂંટારૂઓ મંદિરની દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા.બનાવને પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે પહોંચી છે અને પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તાલુકામા સારી એવી લોકચાહના ધરાવતા કિશોર મહારાજના ખબર અંતર પૂછવા ભક્તો પણ ઉમટી પડ્યા હોવાનું જાણવા મળે છે.
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે...
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...