બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું પાણી લેવું પડે છે. આ બાબત ગ્રુપના ધ્યાને આવતા દાતાઓના સહયોગથી હળવદ ના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ આખા દિવસ માં ઠંડા પાણીના 50 જગ મુકવામાં આવશે. જળ એ જીવન છે. આવા બળબળતા બપોરે પાણી એ સૌની જરૂરિયાત છે. તરસ્યાને પાણી પાવું એ આપણી નૈતિક ફરજ છે તેથી જ તો પૌરાણિક કાળમાં રાજા-મહારાજાઓ ગામડે ગામડે પાણીની પરબો બંધાવતા. તરસ્યાને પાણી પાવું ઉત્તમ માનવ સેવા છે. ગ્રુપના સભ્યો દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે.
દાતાઓ :-
1. સ્વ. નિરંજન લક્ષ્મીપ્રસાદ ઠાકર ના સ્મરણાથે હસ્તે ભારતીબેન નિરંજનભાઇ ઠાકર હિટાચી ATM
2. સ્વ. ભુપેન્દ્ર એમ ઠાકરના સ્મરણાર્થે હસ્તે ભુપેન્દ્ર વોટર સપ્લાય
3. શ્રીજી મંડપ સર્વિસ હસ્તે મનસુખભાઈ દલવાડી.
નીચે મુજબ ની જગ્યાએ પાણીના જગ મુકવામાં આવશે.
1. બસ સ્ટેશન હળવદ સંચાલક રાજુભાઈ દવે
2. આંબેડકર સર્કલ ટીકર રોડ સંચાલક શ્રી મુન્નાભાઈ પાનવાળા
3. બ્રાહ્મણને ભોજન શાળા પાસે સંચાલક શ્રી કિશન દાબેલી
4. ધાંગધ્રા દરવાજા પાસે સંચાલક શ્રી જયસ્વાલ કોલ્ડ્રિંક્સ
5. સરા ચોકડી સંચાલક શ્રી કમલેશભાઈ ટ્રાફિક પોલીસ.
નોંધ :- લોકોએ ઠંડા પાણીનો બગાડ કરવો નહીં. પીવા માટે પાણી છે હાથ મોઢું ધોવું નહીં. જગ નો નળ વ્યવસ્થિત બંધ કરવો જેથી પાણી ટપકે નહીં.
લોકો ના સાથ અને સહકારની અપેક્ષા
રવી પરીખ હળવદ
મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત...
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...