બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું પાણી લેવું પડે છે. આ બાબત ગ્રુપના ધ્યાને આવતા દાતાઓના સહયોગથી હળવદ ના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ આખા દિવસ માં ઠંડા પાણીના 50 જગ મુકવામાં આવશે. જળ એ જીવન છે. આવા બળબળતા બપોરે પાણી એ સૌની જરૂરિયાત છે. તરસ્યાને પાણી પાવું એ આપણી નૈતિક ફરજ છે તેથી જ તો પૌરાણિક કાળમાં રાજા-મહારાજાઓ ગામડે ગામડે પાણીની પરબો બંધાવતા. તરસ્યાને પાણી પાવું ઉત્તમ માનવ સેવા છે. ગ્રુપના સભ્યો દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે.
દાતાઓ :-
1. સ્વ. નિરંજન લક્ષ્મીપ્રસાદ ઠાકર ના સ્મરણાથે હસ્તે ભારતીબેન નિરંજનભાઇ ઠાકર હિટાચી ATM
2. સ્વ. ભુપેન્દ્ર એમ ઠાકરના સ્મરણાર્થે હસ્તે ભુપેન્દ્ર વોટર સપ્લાય
3. શ્રીજી મંડપ સર્વિસ હસ્તે મનસુખભાઈ દલવાડી.
નીચે મુજબ ની જગ્યાએ પાણીના જગ મુકવામાં આવશે.
1. બસ સ્ટેશન હળવદ સંચાલક રાજુભાઈ દવે
2. આંબેડકર સર્કલ ટીકર રોડ સંચાલક શ્રી મુન્નાભાઈ પાનવાળા
3. બ્રાહ્મણને ભોજન શાળા પાસે સંચાલક શ્રી કિશન દાબેલી
4. ધાંગધ્રા દરવાજા પાસે સંચાલક શ્રી જયસ્વાલ કોલ્ડ્રિંક્સ
5. સરા ચોકડી સંચાલક શ્રી કમલેશભાઈ ટ્રાફિક પોલીસ.
નોંધ :- લોકોએ ઠંડા પાણીનો બગાડ કરવો નહીં. પીવા માટે પાણી છે હાથ મોઢું ધોવું નહીં. જગ નો નળ વ્યવસ્થિત બંધ કરવો જેથી પાણી ટપકે નહીં.
લોકો ના સાથ અને સહકારની અપેક્ષા
રવી પરીખ હળવદ
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...