હળવદ મા છેલ્લા ૬ વર્ષ થી ચાલતી સામાજિક સંસ્થા ની અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ૧૦ હજાર જેટલા ચોપડા વિતરણ કરવામાં આવ્યું બે દિવસનો આ કાર્યક્રમ માત્ર બે કલાકમાં પૂર્ણ થયો લોકોની ભારે ભીડને કારણે બે દિવસ માટે જે વેચાણ થવાનું હતું તે બે કલાકમાં જ પૂરું થયું હજુ પણ આગામી સમયમાં વધુ 10000 ચોપડાનું વિતરણ કરવાનું ગ્રુપના સભ્યો નક્કી કરી રહ્યા છે તેવું ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થાની એક અગ્રેસર સંસ્થા કે જે હળવદમાં સમાજને ઉપયોગી બની રહી છે જેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને જે મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારો ને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે તેમજ જે જાહેરાત ની રકમ એકઠી થાય છે જેમાંથી દર વર્ષે ૧૦૦૦ થી વધુ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા
રવિ પરીખ હળવદ
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...