હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં મગફળીમાં છાંટવાની દવા પી જવાથી યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતીમાં મજૂરીકામ કરતા વિકાસભાઇ હસનભાઈ આદિવાસી (ઉંમર 30)એ મગફળીના ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અમદાવાદ સીવિલ હોસપીટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં આપઘાતના આ બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...