“મતદાનથી વિશેષ કંઈ નહીં, અમે અવશ્ય મતદાન કરીશું.” ના મત સાથે એલ.ઈ. કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો
મોરબી: રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડ સહિતના મહાનુભાવોના હસ્તે વર્ષ દરમિયાન ચૂંટણી, મતદારયાદી સંબંધિત કામગીરી તેમજ મતદાર જાગૃતિ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી ખાતે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અન્વયે વાંકાનેર મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી એ એચ. શેરસીયાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે, મદદનીશ નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી ડી. સી. પરમારનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મદદનીશ નોંધણી અધિકારી તરીકે, મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણીનું સ્વિપ કામગીરીમાં શ્રેષ્ઠ નોડલ અધિકારી તરીકે, નાયબ મામલતદાર(મતદાર યાદી)નું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મામલતદાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વર્ષ દરમિયાન BLO તરીકે શ્રેષ્ઠ કામગીરીમાં ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે આર. આર. બળાઈનું, ૬૬ – ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે આર. બી. ઢેઢીનું અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન. એમ. પરાસરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે એ. આર. દલસાણિયાનું, ૬૬ – ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે એ. બી. પુજારા અને ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે એન. એમ. પરાસરાનું આર. એચ જાડેજાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સુપરવાઈઝર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલ્બ(ELC) તરીકે, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળામાં ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી રત્નમણિ પ્રાથમિક શાળા, મોટી બરાર, તા.માળિયાનું, ૬૬ – ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી મોટી ચણોલ પ્રાથમિક શાળાનું તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી તાલુકા શાળા નં.૨, વાંકાનેરનું સન્માન કરવામાં આવ્યું હતુ.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...