માળીયા મી: માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવકની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ છે. આ બનાવની જાણ થતા જ માળીયા પોલીસ ઘટનાસ્થળે જવા રવાના.
મળતી માહિતી મુજબ મોટા નવલખી રોડ,નર્સરી સામે રામાપીરના મંદિર નજીક વિનોદભાઈ મુળુભાઈ ચાવડા ઉ. ૪૮ની તીક્ષણ હથિયારના ઘા ઝીકી કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાનુ જાણવા મળતા માળીયા પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તેમજ બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીએસઆઇ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો છે.
ટંકારા સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવર નો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં વીકીભાઈ નામના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું....
મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દ્વારકા જીલ્લાના રોજડા ગામના વતની અને હાલ મોરબીના રવાપર - ઘુનડા રોડ પર રહેતા જીજ્ઞાસાબેન નટવરલાલ મોઢા (ઉ.વ.૫૨) ના પતી છેલ્લા ૩૦ વર્ષથી દુબઇ ખાતે નોકરી કરી રહેતા અને...
હળવદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જે વાત મહિલાએ રાતાભેર ગામે માતાજીના માંડવામાં કરતા મહિલા તથા તેના બે પુત્રોને આરોપીઓએ લોખંડના પાઇપ વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના રાતભેર ગામના વતની...