માળીયામિંયાણાના ખાખરેચી ગામમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ બંધ કરાવવા લોકમાંગ ઉઠી રહી છે. માળીયા પોલીસની હદમાં આવતા ખાખરેચી ગામમાં બુટલેગરો બેફામ બની છાશવારે ગામમાં ધમાલ કરતા હોવાની રાવ ઉઠી છે. સાંજ પડે ને દેશી કોથરીયા પોતાના લખણ ઝળકાવતા હોવાથી બહેનો દિકરીઓને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે જેમા દેશી પીને દારૂડીયો પુષ્પાના વહેમમાં સાલા ઝુકેગા નઈ જેવો તાલ સર્જી ગામ ગાંડુ કરતા હોવાની રાવ ઉઠી છે.
જેથી સ્થાનીક લોકો દ્વારા વારંવાર રજુઆત કરી હોવા છતા પોલીસની મીઠીનજર તળે દારૂડીયા બેકાબુ બની પોતાની મોજમાં મશગુલ થઈને આમ જનતાને પરેશાન કરતો હોવાની રાવ ઉઠી છે વધુમાં દેશી દારૂડીયા ગામને પોતાના પિતાજીનો બગીચો સમજી બેફામ બિભત્સ ગાળો બોલી ધમાલ કરી દાદાગીરી પર ઉતરી આવી લોકોને હેરાન પરેશાન કરતા હોય જેથી વહેલી તકે આવા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવી બુટલેગરોને શાનમાં સમજાવી હવામાં ઉડતા તત્વો પર લાલઆંખ કરવા માંગ ઉઠી છે જો આગામી દિવસોમાં બેલગામ રહેલા દારૂડીયા અને ધમધમતા દેશીદારૂના હાટડા બંધ નહી થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનુ પણ જાણવા મળ્યું છે.
વધુમાં દેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરો ઉપર પોલીસ પકડ ન રહેતી હોય તેવા બુટલેગરો સામે પાસાનુ શસ્ત્ર ઉગામવા પણ લોકમાંગ ઉઠી રહી છે. અન્યથા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કડક અધિકારી દ્વારા જાહેર કરેલ નંબર ઉપર પણ આ બાબતે જાણ કરવા પણ ગ્રામજનોએ તૈયારી બતાવી છે જેથી આગામી સમયમાં ખાખરેચી ગામમાં ફાટીને ધુમાડે ગયેલા દેશી દારૂડીયા અને બેલગામ બનેલા બુટલેગરોને કાયદાનું ભાન નહી કરાવવામાં આવે અને ધમધમતા દેશી દારૂના હાટડા પર પોલીસ તવાઈ નહી બોલાવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાના સંકેત જોવા મળી રહ્યા છે.
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂપિયા ૧૩,૫૦,૦૦૦ની અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી અન્ય ચીજવસ્તુઓની નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની...