માળીયા: માળિયા – જામનગર રોડ પર જસાપર ગામની સીમમાં આવેલ ક્રિષ્ના હોટલમાંથી અજાણ્યા ચોર ઈસમ ૪૪,૫૦૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયા હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જસાપર ગામે રહેતા માવજીભાઈ સુખાભાઈ ચાવડા (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૧૧-૨૦૨૨ થી ૨૧-૧૧-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે કોઈ અજાણયા ચોર ઈસમે ફરીયાદીએ પોતાની હોટલની ખુલ્લી ઓસરીમા તેમજ પંચરની છપરીમાં રાખેલ એલ્યુમીનીયમના તપેલા નંગ-૫૦ કિ.રૂ.૧૦,૦૦૦/- ના તથા સ્ટીલની પંજાબી ડીસ નંગ-૨૫ કિ.રૂ.૧૫૦૦/- તથા સ્ટીલની થાળી નંગ-૧૭૫ કિ.રૂ.૩૦૦૦/- તથા સ્ટીલના ગ્લાસ નંગ-૫૦ કિ.રૂ.૧૫૦૦/- તથા સ્ટીલના વાટકા નંગ-૧૫૦ કિ.રૂ.૨૫૦૦/- તથા ટીનની ડોલ નંગ-૦૪ કિ.રૂ.૧૦૦૦/- તેમજ પંચરની છાપરીમાં રાખેલ પંચર કરવાનુ મશીન જીગરીયુ નંગ-૦૧ કિ.રૂ.૮૦૦૦/- તથા ટ્રકની વ્હીલ પ્લેટ હબ સાથે નંગ-૦૪ કિ.રૂ.૫૦૦૦/- તથા લોખંડની સાંકળનુ ટોચન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તથા લોખંડની ચેનલ નંગ-૧૭ કિ.રૂ.૭૦૦૦/- મળી આશરે કિ.રૂ.૪૪,૫૦૦/- જેટલી માલમતાની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ભોગ બનનાર માવજીભાઈ એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
ત્યારે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ...