મોરબી માળિયા હાઈવે પર આઈસર ટ્રકના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક રહેત મહેશભાઈ રામજીભાઈ ગોહિલ (ઉ.૨૦) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આઈસર ટ્રક જીજે ૦૨ ઝેડ ૬૯૯૮ એ પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને ટીંબડી પાટિયા પાસે રાજ હોટલ અસમે ફરિયાદી મહેશભાઈના પિતા રામજીભાઈ અખાભાઈ ગોહિલ (ઉ.૫૬) ને મોટર સાઈકલ આઈ સ્માર્ટ જીજે ૦૩ એફઆર ૭૬૫૬ સાથે હડફેટે લેતા ફંગોળી દેતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોચતા રામજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું તો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...