માળિયા: મોરબીના રહેવાસી નીલેશભાઈ બચુભાઈ ગડારની મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી પાસે માળિયા (મી) એરકોન માઈક્રોન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી કુલ રૂ.૧,૯૯,૮૪,૦૪૯ નો માલ ખરીદી જેમાંથી રૂ.૩૯,૧૩,૧૨૯ નહી આપી તથા હાથ ઉછીના લીધેલા રોકડ રકમ રૂ.૭,૧૨,૪૨૨ પરત નહીં આપી એમ કુલ રૂ.૪૬,૨૫,૫૫૧ ચુકવી આપવાનો ખોટો દિલાસો આપી વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની વેપારીએ મુંબઈના બે શખ્સો વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વિજયનગર ગાયત્રી ચોક -૧મા રહેતા નીલેશભાઈ બચુભાઈ ગડારા (ઉ.વ.૪૩)એ આરોપી ગુસમહમદખાન ઉર્ફે સજ્જનખાન તથા તાહીર ગુસમહમદખાન રહે બંને ૩૯૮ બી ગુલાબશાહ એસ્ટેટ ચોથા માળે સી એસ ટી રોડ કુપ બસ સ્ટોપ પાછળ મુંબઈ વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૦૬-૨૦૨૧ થી ૦૧-૦૧-૨૦૨૧ દરમ્યાન આરોપીઓએ ફરીયાદીના એરકોન માઇક્રોન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમા કુલ રૂ.૧,૯૯,૮૪,૦૪૯/- નો માલ ખરીદી જેમાથી આરોપીઓએ રૂ.૩૯,૧૩,૧૨૯/- નહી આપી તથા ફરીયાદી પાસેથી હાથ ઉછીના લિધેલ રોકડા રૂપીયા કુલ ૭,૧૨,૪૨૨/- પરત નહી આપી એમ કુલ રૂ.૪૬,૨૫,૫૫૧/- ચુકવી આપવાનો ખોટો દીલાસો આપી ફરીયાદીનો વીશ્વાસકેળવી બાકી રહેતી લેણીની રકમ રૂ. ૪૬, ૨૫,૫૫૧/- નહી ચુકવી ફરીયાદી સાથે આરોપીઓએ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોવાની વેપારી નીલેશભાઈએ મુંબઈ વાળા બંને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...