Friday, June 20, 2025

મોરબીઃ બે મોટા ગજાના નેતાના ઈશારે ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યા હોવાના આક્ષેપ ! સરપંચ માત્ર એક મોહરો બની ને રહી ગયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બે મોટા ગજાના ના નેતા ની રવાપરા ગ્રામપંચાયત પર રહી છે વર્ષો થી પકડ

રવાપરા ગ્રામપંચાયતમાં મંજૂરીના લાખો રૂપિયા બોલાઈ છે! એક સાથે જ મિટિંગમાં 9 થી 11 માળની બિલ્ડીંગોની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ભૂકંપ ઝોન 4 માં આવતા આવા વિસ્તારોમાં ઝુલતા પુલ જેવી ગોઝારી દુર્ઘટના સર્જાઇ તો જવાબદારી કોની ગણવી ? કેમ કે ત્યારે રાજકીય આગેવાનો અને સરપંચો આબાદ છટકી જવાના છે અને ભોગ બનનારના કુટુંબીજનોનો વલોપાત જ સંભળાવાનો છે આવી કોઈ દુર્ઘટના થશે ત્યારે આપડે જવાબદારો શોધવા નીકળી શું ?

મોરબી ની આસપાસ આવેલ ગ્રામપંચાયત હરણફાળ વિકાસ કરી રહ્યા છે ત્યારે રવાપરા ગ્રામપંચાયત ની વાત જ અલગ છે અહીં ચૂંટણી સમયે સરપંચ બનવાની ઘેલછા એ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધો હતો કારણ કે અહીં બાંધકામની મંજુરીમાં બેફામ રૂપિયા મળી રહ્યા છે ત્યારે પંચાયત નો સરપંચ નીતિન ભટાસણા એક મોહરો છે આની પાછળ મોટા બાઘડ બિલ્લા કોણ છે ? શું મોટા ગજાના નેતાઓના ઈશારે આ બાંધકામ થઇ રહ્યા છે સરપંચ માત્ર એક મોહરો જ છે ?

જો ગ્રામપંચાયતની વાત કરવામાં આવે તો સૌ કોઈ જાણે છે પંચાયત ની હદમાં આવતા બાંધકામ ની મંજૂરીના રૂપિયા લાખો આપવા પડે છે ત્યારે મોટી ઇમારતની મંજૂરી સરપંચ આપી રહ્યા છે જો કોઈ વગદાર બિલ્ડર હોય તેના એકપણ રૂપિયો લેવામાં આવતો નથી માટે અન્ય બીલ્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે એક બિલ્ડરે નામ ન આપવાની શરતે ચક્રવાત ટીમને જણાવ્યું હતું કે કેનાલ ચોકડી એ જે બાંધકામ થઇ રહ્યું છે તેમાં મોટા ગજા ના નેતાના કહેવાથી ગેરકાયદેસર મંજૂરી આપવામાં આવી છે તેમજ તેના માટે સરપંચ ને અને પંચાયતના સભ્યને એકપણ રૂપિયો મળ્યો ન હતો માટે પંચાયતમાં સરપંચ અને સભ્યો વચ્ચે બબાલ થઇ હતી ત્યારે અમુક સભ્યો દ્વારા સરપંચ નો સાથ મૂકીને વિરોધ માં કામ કરતા હતા જોકે મળતી માહિતી મુજબ હમણાં તાજેતરમાં ચૂંટાયેલા એક મોટા ગજાના નેતા ની મધ્યસ્થી થી ગત માર્ચ મહિનામાં 21-03-2023ના મળેલી મીટિંગમાંજ અંદાજીત 20 જેટલી 1 થી 9 માળ કે તેથી વધુના માળની ઈમારતોને બાંધકામની મંજૂરી આપવામાં આવી હોઈ તેવી માહિતી પણ મળી છે જેમાં સભ્યો ને થોડા રૂપિયા આપીને રાજી કર્યા હતા તેવું પણ એક ગ્રામજને જણાવ્યું હતું

જો ખુદ મોટા નેતા ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપવામાં સરપંચ ને પ્રોત્સહન આપતા હોય તો કેટલું યોગ્ય કહેવાય ? આજ ભાજપ ની સ્થિતબદ્ધ સરકાર છે કે ભ્રસ્ટાચાર ને પ્રોત્સાહન આપવું ? જો સરપંચ કે અન્ય કોઈ વ્યક્તિ આવી બહુમાળી ઇમારતને મંજૂરી આપતા હોય તો આવા મોટા ગજા ના નેતાએ સરપંચ ને ઠપકો આપીને આ તમામ ભ્રસ્ટાચાર બંધ કરવો જોઈએ કારણ કે સૌરાષ્ટ્ર ભૂકંપ ઝોન 4 માં સમાવેશ બાદ તમામ પંચાયત ને 3 માળ થી વધુ ઇમારત ન બનાવવા નો પરિપત્ર જાહેર કરેલ તેમજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રવાપર ગ્રામપંચાત ના ગેરકાયદેસર બાંધકામને લઈને જિલ્લા કલેકટર ને રિપોર્ટ આપવાની પણ સૂચના આપવામાં આવી છે ત્યારે જોવું રહ્યું બાંધકામ ની ગેરકાયદેસર મંજૂરી ને લઈને કોર્ટનું કેવું માન જળવાઈ છે ?

આવનાર દિવસોમાં રવાપરા ગ્રામપંચાયતનો પીવાના પાણી બાબતનો ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ ચક્રવાત ન્યુઝ દ્વારા કરવામાં આવશે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર