મોરબી નજીક આવેલ રવાપરા ગ્રામપંચાયત એટલે વિવાદનું મોટું ઘર આ પંચાયત માં સરપંચ બનવું એટલે ધારાસભ્ય બરાબર કારણકે આ જિલ્લામાં એકજ આ પંચાયત છે જ્યાં મોટા ભ્રસ્ટાચાર થાય છે અવાર નવાર જિલ્લા કલેકટર ને રજૂઆત કરવા છતાં રાજકારણીઓ કોઈને જવાબ દેવામાં સમજતા નથી કારણ કે આ ભ્રસ્ટાચારમાં સભ્યો થી લઈને કલેકટર સુધી હપ્તા પોહચી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મોરબી શહેરમાં હરણફાળ વિકાસ થઇ રહ્યો છે આસપાસ રાજ્યના લોકો અહીં રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે ત્યારે બાંધકામ પણ દિન પ્રતીદીન વધી રહ્યા છે 2001માં ભૂકંપ આવ્યા બાદ સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયેલ હતો જેમાં ગ્રામપંચાયતને 3 માળથી વધુની મંજૂરી આપવી નહિ તેમ છતાં રવાપર ગ્રામપંચાયત દ્વારા 10 માળ સુધીની મંજૂરી એ પણ કોઈપણ સુવિધા વગર અપાઈ રહી છે જેમાં મસમોટા રૂપિયા બિલ્ડર તરફથી પંચાયત ને આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ નાણાકીય વહીવટને લઈને સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યો આંતરિક રીતે ભાગબટાઇમાં નારાજ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે ત્યારે આ તમામ વિવાદ વચ્ચે ગ્રામપંચાયતના ઉપસરપંચ એ રાજીનામુ આપતા પંચાયતમાં હોબાળો મચી ગયો છે કારણકે મહિલા ઉપસરપંચ દ્વારા ઘરકામ અને સામાજિક કાર્યના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળેલ છે જે બાબતે સરપંચ નીતિન ભટાસણા ને કોલ કરતા તેને કોલ માં જવાબ દેવાનું યોગ્ય સમજ્યું નહિ અને કોલ રિસીવ કરવાનું પણ ટાળ્યું હતું તેમજ મંજૂરી આપવામાં આવી છે કે નહિ તેવું બે દિવસ પહેલા પૂછવામાં આવ્યું હતું ત્યારે પણ જવાબ સંતોષકારક ન આપી શક્યા હતા. હાલતો રવાપર ગ્રામપંચાયત ના મહિલા ઉપસરપંચ ના રાજીનામાં પાછળ ભાગબટાઈ ની ચર્ચા એ જોર પકડ્યું છે. જો આ ચર્ચા ખોટી હોય તો જિલ્લા કલેકટરે યોગ્ય તપાસ કરીને બાંધકામની મંજૂરી અટકાવી જોઈએ અને ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપવા બદલ તમામ જવાબદારને કાયદાનું ભાન કરાવું જોઈએ
આવતીકાલ તા. 25 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન ડો. અચલ સરડવા (MS Orthopaedic) ની મોરબીની અથર્વ હોસ્પિટલ ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં હાડકાંને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને...
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લા પંચાયત ૧૦માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ની ઉજવણી અન્વયે તા.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પટેલ સમાજવાડી, બગથળા, તા. મોરબી, ખાતે મેગા આયુર્વેદ -હોમિયોપેથી...
રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ આગામી સમયમાં યોજાનાર છે. યુવા ઉત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-૦૧/૧૦/૨૦૨૫ છે.
યુવા ઉત્સવમાં મોરબી...