મોરબી: મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અંજારથી મોરબી મંડપ સર્વિસના કામ અર્થ વાવડી ગામે આવેલા અને મંડપ સર્વિસનું કામ પુરૂ કરી વાવડી ગામથી પરત અંજાર તરફ જતા હતા ત્યારે મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી જતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ઈશ્વર બુધા નાયક ઉ.વ.૧૯, અંધિન રંગીન બારીયા, કાળું નાયક ઉ.વ.૨૦, રાજેશ છત્રક બારીયા ઉ.વ.૨૪, રમેશ ડામોર ઉ.વ.૩૦, વિક્રમ રંગીત બારીયા ઉ.વ.૨૭, દિલીપ ડામોર ઉ.વ.૩૦ સહિત અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ હાલ મળતી માહિતી મુજબ ત્રણ લોકોને વધું સારવાર અર્થે મોરબી પ્રાઈવેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...