મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે પરણિતાનુ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ ઉ.વ-૨૮ રહે. નવા જાંબુડીયા તા.જી.મોરબી વાળી ગત તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાના ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
