મોરબી: મોરબી નવાગામ રોડ સનટચ કારખાનાની સામે રોડ ઉપર ટેમ્પોએ હડફેટે લેતા એક્ટીવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની એક્ટીવા ચાલકના ભાઈએ આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર) ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે નિતીનભાઇ માવજીભાઈ જાદવ (ઉ.વ.૨૭) એ આરોપી ટેમ્પો રજીસ્ટર નંબર- GJ-36-T-7221 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ હરેશભાઇ માવજીભાઇ જાદવ પોતાના હવાલાવાળુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-HF-3347 વાળુ લીલાપર ચોકડીથી નવાગામ ઘર તરફ જતા હતા ત્યારે નવાગામ રોડ સન ટચ કારખાના પાસે પહોચતા તેની આગળ એક ટેમ્પો રજીસ્ટર નં- GJ-36-T-7221 નો જતો હોય ફરીયાદીના ભાઇ તેને ઓવરટ્રેક કરવા જતા ટેમ્પો ચાલકે પોતાના હવાલા વાળો ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી ડ્રાઇવર સાઇડે કાવુ મારતા ફરીયાદીના ભાઇની મોટરસાયકલ સાથે અથાડી એક્સીડન્ટ કરતા નીચે પડતા ફરીયાદીના ભાઇને મોઢાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા કરેલ તેમજ શરીરે નાની મોટી મુંઢ ઇજાઓ પહોચાડી પોતાના હવાલા વાળો ટેમ્પો લઇ ટેમ્પો ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે બાબુભાઈ જાદવે આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
ત્યારે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ...