મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કુલની બાજુમાં અમૃત હાઈટ્સમાં રહેતા યુવાને કામ ધંધામાં મંદી હોવાથી આર્થિક સંકળામણના કારણે ડેમના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુત તપાસ હાથ ધરી છે
આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતકને ધંધામા મંદી હોય જેથી આર્થિક સંકડામણ હોય જેથી ગઇ તા. ૭ ના રોજ પોતાના ઘરેથી નીકળી જઇ આર્થિક સંકડામણથી કંટાળી જઇ પોતે પોતાની મેળે જોધપર(નદી) ગામની સીમમા આવેલ જોગેશ્વર ફાર્મની બાજુમા મચ્છુ-૨ ડેમમા પાણીમા ડુબી જઇને અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂપિયા ૧૩,૫૦,૦૦૦ની અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી અન્ય ચીજવસ્તુઓની નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની...