મોરબી: મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે પરીણાતાને તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા લાગી આવતા પરણીતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજકોટ જિલ્લાના આસલપુર ગામના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) એ ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરતીબેનને તેના પતિએ તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા આરતીબેનને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન આરતીબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા ૨૩ (ત્રેવીસ) વર્ષથી નાસતો ફરતો આરોપી જે ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો હોય જે આરોપીને મથુરા ખાતેથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
વર્ષ ૨૦૦૨મા મોરબીના ત્રાજપર ખારીમાં બનેલ આ ગુનાની માહિતી એવી છે કે, ફરીયાદીના નવી માતા...
મોરબી તાલુકાના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ ૮૮ વર્ષની ઉંમરે તારીખ ૧૨-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ ૧૬-૧૦-૨૦૨૫ ને ગુરુવારના રોજ રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસસ્થાને ઘુંટુ (જનકપુર) ગામ ખાતે રાખેલ છે.
...
મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા ને લઇ ને મોરબી ના રઘુવંશી પરિવારો માં અનેરો ઉત્સાહ જોવા મળી...