મોરબી: મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે પરીણાતાને તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા લાગી આવતા પરણીતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજકોટ જિલ્લાના આસલપુર ગામના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) એ ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરતીબેનને તેના પતિએ તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા આરતીબેનને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન આરતીબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી ખાતે વર્ષ 1996 થી કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 સુધી પ્રાથમિક વિદ્યાલય હાલ કાર્યરત છે.
જેમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. માધ્યમિક ધોરણ 9 અને 10...
મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો હાલ શરૂ કરવામાં આવેલ છે. આ રોડના કામો તાત્કાલિક પૂર્ણ કરાશે જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હડવી થશે.
મોરબી શહેરમાં કેસર બાગ થી એલ.ઈ.કોલેઝ સુધી રૂ. ૧.૭૬ કરોડના ખર્ચે નવા સી.સી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ જે જેમાં હાલે ૩૫૦...
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ પાસે એપેક્ષ હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રેલર - ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી...