મોરબી: મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે પરીણાતાને તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા લાગી આવતા પરણીતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજકોટ જિલ્લાના આસલપુર ગામના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) એ ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરતીબેનને તેના પતિએ તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા આરતીબેનને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન આરતીબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.
જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ જી. ટી. પંડયા દ્વારા...
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે ગ્રામ સભા યોજાઈ હતી જેમાં અગાઉ થયેલ રજુઆતનો નિકાલ ન આવતા ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા ગ્રામજનો હાજર રહ્યા હતા.
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે આજ સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ સભા રાખવામાં આવી હતી પણ અગાઉ અનેક ગ્રામ સભામાં થયેલ...
વાંકાનેર: તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ...