દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરતા મનો દિવ્યાંગ બાળકો
મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા હાલ રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ મોરબી ખાતે હાલ કાર્યરત છે, જેમાં હાલ સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે, આ બાળકો પોતે પગભર થાય પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકે,સમાજ આ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપે એવા શુભાષયથી દિવ્યાંગ બાળકો દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભવના,રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.
જેમાં દિવ્યાંગ બાળકો અભિનયના ઓજસ પાથર્યા હતા આ કાર્યક્રમ નિહાળવા અને દિવ્યાંગ બાળકોને અને એમની સાથે કામ કરતા અને આ બાળકોને જીવનના પાઠ શીખવતા તમામ શિક્ષિકા બહેનો તેમજ ટ્રષ્ટિ મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા,દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવા,શિલ્પાબેન ભટાસણા આઈ.ઈ.ડી.કો. ઓર્ડીનેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
મોરબીના સુજ્ઞ નાગરિકો, નગરજનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓને નિહાળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્યું
મોરબી શહેરમાં આરોગ્યની સુવિધાઓ વધારવા તથા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી લોકોને ગાંધીચોકમા દવાઓ લેવા માટે લાંબુ ન થવુ પડે તે માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નવી અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી તથા ભાવીક ભટ્ટ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લો...
મોરબીના રંગપર - જેતપર રોડ પર વિરાટનગર આગળ તરલ આઇઓસીએલ પેટ્રોલપંપ સામે ડીવાઈડર કટ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના પાનેલી રોડ પર રફાળેશ્વર...
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવકના કાકાની દિકરીના લગ્ન યુવકની ફઈના દિકરા સાથે થયેલ હોય બંને પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા દિકરી રીસામણે હોય જે બાબતેનો ખાર રાખી યુવકના ફી રહીમાબેનના ઘરે જતા આરોપીઓએ યુવકના દાદી સાથે ઝઘડો કરી યુવકને તથા સાથીને છરી, ધારીયા વડે ઇજા કરી હોવાની...