મોરબીની એક પ્લાયવુડ ની પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી ટ્રક મારફતે નેપાળ ખાતે રૂપિયા ૫૧ લાખની કિંમતનો માલ મોકલાવ્યો હતો જે લેનાર પાર્ટી સુધી ન પોહચતા બારોબાર સગેવગે થઈ જવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નેશનલ હાઈવે પર આવેલ કજારિયા પલાયવુડ નામની ફેક્ટરીમાંથીદીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરાએ ગત 25 ફેબ્રુઆરીના રોજ યુપી 50 સીટી 870 નંબરના ટ્રકમાં રૂ 51.07 લાખની 5775 ભરી નેપાળના કેશા ચંદા અન્વરલાલ એન્ડ કંપનીમાં ભરીને મોકલ્યા હતા.
જોકે યુપીના આઝમજીગઢ જીલ્લાનો વતની ટ્રક ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુ સિંગ આ માલ નેપાળ પહોચાડવાના બદલે રૂ 51.07 લાખ નંબરનો 5775 સીટ લઇ ગાયબ થઇ ગયો હતો તેમજ ફોન પણ બંધ કરી દીધો હતો આ અંગે દીપકભાઈએ નેપાળમાં તેમણી પાર્ટીપાસે તપાસ કરતા લેમિનેટ સીટની ડીલવરી ન મળી હોવાનું સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક દિલીપકુમાર વિરુદ્ધ છેતરપીડી આચર્યાની પોલીસ ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...