મોરબી: માનવ જીવન જન્મ-મૃત્યુ, આરંભ-અંત તડકો-છાંયો, સુખ-દુઃખ પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરે દ્વંદોથી ભરેલું છે ત્યારે જેમને વર્ષો સુધી સર્વ શિક્ષા અભિયાન હેઠળ ટંકારા તાલુકાના બી.આર.સી. કો. ઓર્ડીનેટર તરીકે, સીઆરસી કો. ઓર્ડીનેટર તરીકે, શિક્ષક આચાર્ય તરીકે ફરજ બજાવી મહાદેવભાઈ રેવાભાઈ રંગપડીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા મહેન્દ્રનગર કન્યા શાળા તથા મહેન્દ્રનગર કુમાર શાળાના સ્ટાફ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવેલ.
આ પ્રસંગે મહેન્દ્રનગર કન્યાશાળાના આચાર્ય ભાવનાબેન ડારા કુમાર શાળાના આચાર્ય રેખાબેન શેરસીયા મહેન્દ્રનગર કન્યા શાળાના સ્ટાફ ધર્મેન્દ્રભાઈ કાવઠીયા ત્રિભુવનભાઈ બાવરવા ભાવનાબેન અઘારા નવી પીપળી આચાર્ય કુંદનબેન ભોરણીયા તથા સી.આર.સી કોર્ડીનેટર હાજર રહેલ ઉપસ્થિત સૌ કોઈએ મહાદેવભાઈની શિક્ષણ જગતની લાંબી કારકિર્દીને બિરદાવતા જણાવ્યું હતું કે તેઓ એક સારા, સાચા, અને કર્મનિષ્ઠ શિક્ષક હતા, તેઓ એક સારા ગાયક અને બાળકોને અભિનય દ્વારા ગીત કાવ્ય ભણાવવામાં ખુબજ માહિર છે,તેઓએ અનેક તાલીમવર્ગોમાં શિક્ષકોને પોતાના અભિનય દ્વારા કાવ્ય,બાળગીત શીખવ્યા છે, નિવૃત્ત વખતે એમની પાસે 200 જેટલી હક રજા હતી છતાં પણ શાળામાં શિક્ષકની ઘટ હોય બાળકો અને શિક્ષણના હિત ખાતર તેઓએ રજા ભોગવી નહિ અને નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી કર્મને જ ધર્મ માની કાર્યરત રહ્યા નિવૃત્તિ પ્રસંગે એમના તરફથી મહેન્દ્રનગર કન્યા શાળાને પંખાની ભેટ આપેલ છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને સમાજહિતના કાર્યો કરવા માટે રૂપિયા પાંચ હજારનું અનુદાન આપેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરની શાળાના વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અંગે જ્ઞાન વિકસે તે હેતુથી મનપાની વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકયુ જ્ઞાન ન મેળવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો રહ્યો હતો. મોરબી મહાનગરપાલિકાને ૧ વર્ષ...
બન્ને ટીમો સહીત અન્ય કેટેગીરીના ખેલાડીઓને પણ જ્ઞાતિ અગ્રણીઓના હાથે ટ્રોફી આપવા સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ...