મોરબી:વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે
માણેકવાડા ગામની ભૂમિમાં જેમને બાળપણ વિતાવ્યું છે માણેકવાડાની માટી ખુંદીને મોટા થયા છે અને હાલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેત્રોજા અને વર્ષોથી બી.આર.સી.ભવન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપવા માટે સતત કાર્યરત,દિવ્યાંગોને સરકારી લાભો પ્રાપ્ત થાય એ માટે સતત જહેમત ઉઠાવતા બી.આર.પી. તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ભટાસણા બંને દંપતી તરફથી માણેકવાડા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ અને લંચ બોક્ષનું વિતરણ કરાયું હતું.આ તકે શાળા પરિવાર તરફથી બંને દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...