મોરબી:વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે
માણેકવાડા ગામની ભૂમિમાં જેમને બાળપણ વિતાવ્યું છે માણેકવાડાની માટી ખુંદીને મોટા થયા છે અને હાલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેત્રોજા અને વર્ષોથી બી.આર.સી.ભવન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપવા માટે સતત કાર્યરત,દિવ્યાંગોને સરકારી લાભો પ્રાપ્ત થાય એ માટે સતત જહેમત ઉઠાવતા બી.આર.પી. તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ભટાસણા બંને દંપતી તરફથી માણેકવાડા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ અને લંચ બોક્ષનું વિતરણ કરાયું હતું.આ તકે શાળા પરિવાર તરફથી બંને દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.
તાલુકાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. ૭૦૦ લાખના ૨૫૭ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૭૦૦ લાખના ૨૫૭ જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર...
મોરબી તાલુકાના વનાળીયા ગામે મહિલાના સસરા ધારાભાઈએ એમના ઘરની લાઈટ બંધ કરી દિધેલ હોય જે બાબતે મહિલાના પતિ આરોપીને કેમ લાઇટ બંધ કરી દિધેલ છે તેમ કહેવા જતા આરોપીએ મહિલાના પતિ જોડે બોલાચાલી કરી ધોકા વડે મારમારતા મહિલા છોડાવવા જતા મહિલા પર ધાર્યા વડે હુમલો કરી ઇજા કરી હતી...