મોરબી:વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે
માણેકવાડા ગામની ભૂમિમાં જેમને બાળપણ વિતાવ્યું છે માણેકવાડાની માટી ખુંદીને મોટા થયા છે અને હાલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેત્રોજા અને વર્ષોથી બી.આર.સી.ભવન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપવા માટે સતત કાર્યરત,દિવ્યાંગોને સરકારી લાભો પ્રાપ્ત થાય એ માટે સતત જહેમત ઉઠાવતા બી.આર.પી. તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ભટાસણા બંને દંપતી તરફથી માણેકવાડા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ અને લંચ બોક્ષનું વિતરણ કરાયું હતું.આ તકે શાળા પરિવાર તરફથી બંને દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.
ગઈકાલે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાને સિવિલ હોસ્પિટલમાંથી અમુક દર્દીઓના સગાઓ દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. જેવી કે પ્રસૂતિ બાદ મહિલાઓને ચલાવીને બીજા અલગ વોર્ડમાં લઈ જવામાં આવતી હોઈ, કોઈ વ્હીલચેર કે સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. તેમજ પીએમ રૂમ પાસે મસમોટા ખાડાઓ હતા.
ઇમરજન્સી એક્સિટ લખેલા દરવાજાઓને...
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી દ્વારા દીકરીઓને આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો અને દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન...