મોરબી: G-20 ગ્રૂપ ઓફ ટવેન્ટી એક આંતર રાષ્ટ્રીય જૂથ છે,જેમાં 19 દેશો અને એક યુરોપિયન એમ વિસ સભ્યો જોડાયેલા છે, આ વિસ સભ્યો એટલે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા સાઉદી અરેબિયા,દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા તુર્કી,દક્ષિણ કોરિયા તુર્કી,યુકે,અને યુએસએ અને યુરોપિયન યુનિયન એમ કુલ વિસ સભ્યો છે,G-20 માં વિકસિત અને વિકાસીલ એમ બંને પ્રકારના દેશોનો સમાવેશ થાય છે. જી-૨૦ ના સભ્ય દેશો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જેમ કે આર્થિક સલામતી,પર્યાવરણ, ટકાઉ વિકાસ, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે મુદાઓના અમલીકરણ કામ કરે છે.
પહેલી ડિસેમ્બર- ૨૦૨૨ થી નવેમ્બર-૨૩ સુધી જી-૨૦ નું પ્રમુખપદ ભારતને પ્રાપ્ત થયું છે એટલે ૨૦૨૩ની જી-૨૦નું સુકાન ભારતમાં હાથમાં છે,આ અંતર્ગત 18 મી જી-૨૦ સમિટ 9 અને 10 સપ્ટેમ્બર – ૨૦૨૩ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે,આ પહેલા આંતરરાષ્ટ્રીય નાણાંકીય બાબતો, આરોગ્ય, શિક્ષણ,રોજગારી જેવા વિવિધ વિષયો પર ભારતના જુદા જુદા શહેરોમાં 100 જેટલી મીટીંગો યોજાશે,વિગતવાર ચર્ચાઓ થશે,નીતિવિષયક સૂચનો એકઠા થશે, ત્યારબાદ આ સૂચનો સમિટમાં રજૂ થશે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ભારતના જી-૨૦ પ્રેસિડેન્સીની થીમ વસુધેવ કુટુમ્બકમ અથવા એક પૃથ્વી-એક કુટુંબ-એક ભવિષ્ય જાહેર કરવામાં આવેલ છે.જી-૨૦ સમિટનું પ્રમુખપદ ભારતને મળવાથી લોકોમાં અનેક અપેક્ષાઓ બંધાઈ છે જેમ કે ભારતનું વૈશ્વિક સ્તરે વજન વધશે, વિવિધ દેશોના પ્રતિનિધિઓ ભારતમાં આવશે અને ભારતની સંસ્કૃતિ, ભારતનો વિકાસ નરી આંખે જોશે,ભારત દુનિયાને વિકાસની એક નવી દિશા સુચવશે,ભારત દેશ મક્કમ પણે વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે,જે આપણા સૌ માટે ગૌરવપ્રદ બાબત હોય લોકો સમક્ષ જી-૨૦ની વાત પહોંચે એ માટે માધાપરવાડી શાળામાં દિનેશભાઈ વડસોલાએ જી-૨૦ વિશે વાત કરી હતી અને બાળાઓએ સુંદર મજાની રંગોળી દોરી ભારતની ગૌરવપૂર્ણ સિદ્ધિને વધાવી હતી, રંગોળી તૈયાર કરવામાં ગીતાબેન અંદીપરા ચાંદનીબેન સાંણજા નિલમબેન ચૌહાણ, નર્મદાબેન પરમાર, જયેશભાઈ અગ્રાવત દયાળજીભાઈ બાવરવા વગેરે તમામ શિક્ષકોએ તેમજ વિદ્યાર્થીનીઓએ ખુબજ મહેનત અને જહેમત ઉઠાવી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ કાળઝાળ ગરમીની વચ્ચે 45.5°C તાપમાન સાથે ડીસા સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.7°C જેટલો મોટો વધારો નોંધાયો...