માધાપરવાડી શાળાને કમ્પ્યુટર અને 400 બાળાઓને પેન અને ચોકલેટ અર્પણ કરી,પફ સેન્ડવિચનો નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરતા હંસરાજભાઈ પરમાર
લોકો પોતાના રળેલા રૂપિયામાંથી પરસેવાની કમાણીમાંથી કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિ,દાનની પ્રવૃત્તિ કરતા હોય છે,ખાસ કરીને શાળા પણ વિદ્યાનું મંદિર છે એમાં અભ્યાસ કરતા બાળકો એ દેવ તુલ્ય છે ત્યારે લોકો આ બાળદેવો માટે અભ્યાસમાં ઉપયોગી થાય એવુ દાન આપતા હોય છે જેથી બાળકો હોંશે હોંશે શાળાએ આવવું ગમે શાળામાં ભણવાનું ગમેં,રોકાવું ગમે એવા હેતુસર પુત્રી વંદનાના જન્મદિવસે શાળા માટે કમ્પ્યુટર અર્પણ કર્યું અને 400 વિદ્યાર્થીનીઓને પેન અને કેડબરીની ચોકલેટ અર્પણ કરી પફ સેન્ડવિચનો નાસ્તો કરાવી હંસરાજભાઈ પરમારે પ્રેરણાદાયી ઉજવણી કરતા શાળા પરિવાર વતી આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ આભાર પ્રકટ કર્યો હતો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...