જાદુગર વી.કે.દ્વારા વિદ્યાર્થીઓ માટે તદ્દન નજીવા દરે શોનું આયોજન
મોરબી: મોરબીની માધાપરવાડી શાળા વિદ્યાર્થીઓ માટે અવનવી પ્રવૃત્તિ કરવા માટે જાણીતી છે ત્યારે મોરબીમાં કામધેનુ રિસોર્ટ પાસેના ગ્રાઉન્ડમાં જાદુગર વી.કે. જાદુગરના અવનવા શો દ્વારા ધૂમ મચાવી રહ્યા છે.માનવ જીવનની 72 કળાઓ પૈકીની એક કળા એટલે જાદુ.આ જાદુ દ્વારા લોકોનું મનોરંજન થાય એ માટે અનેક જાદુગરો પોતાની જાદૂકલા દ્વારા વિવિધ કરતબો બતાવતા હોય છે એવી રીતે અમેરિકા સ્થિત દુનિયાભરના જાદુગરો માટેની કલબ દ્વારા જાદૂકલા માટેની હરીફાઈ રાખવામાં આવેલ એમાં દુનિયાભરમાંથી 5000 જાદુગરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને પોતાની જાદૂકલાનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
એ પૈકી ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા જાદુગર વી.કે. ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું એવા આ વી.કે.જાદુગર જુદા જુદા 200 જેટલા જાદુના ખેલ જાદુના કરતબો બતાવે છે. દરરોજ રાત્રે 9.00 વાગ્યાનો રેગ્યુલર શો હોય છે પણ દિવસ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ માટે તદ્દન વ્યાજબી શુલ્ક સાથે વિદ્યાર્થીઓ માટે ફક્ત 50 રૂપિયાની નજીવી ફી સાથે માધાપરવાડી શાળાના 300 જેટલી વિદ્યાર્થીનીઓએ જાદુનો ખેલ નિહાળી મનોરંજન પ્રાપ્ત કર્યું હતું અને વી.કે સાથે દેશભક્તિના ગીતો સાથે ડાન્સની પણ મજા માણી હતી.
આમ કોઈ શાળાના 300 વિદ્યાર્થીઓ થાય તો દિવસ દરમ્યાન શો કરી આપે છે,અને બાળકોનું સરસ મનોરંજન કરે છે,બાળકોને ઘણું બધું જાણવા જોવા મળે છે. જો કોઈ શાળા આ શો જોવા માંગતી હોય તો મો.નં. 9099901700 સમ્પર્ક કરવો.એમ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવવામાં આવર છે,બાળાઓને જાદુગરનો શો બતાવવા અલકાબેન કોરવાડિયા,નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા,દયાળજીભાઈ બાવરવા,જયેશભાઇ અગ્રાવત ચાંદનીબેન સાંણજા,નિલમબેન ચૌહાણ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રીપ નંગ – ૨૯ કિં.રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી...