મોરબી: મોરબીના મહેન્દ્રનગર ખાતે આજ રોજ 2023 નવા વર્ષના પ્રારંભે રામજી મંદિરે ગાયત્રી યજ્ઞનું આયોજન રાખેલ હતું.સામાન્ય રીતે આજની નવી પેઢી પાશ્ચાત્ય સસ્કૃતિના રંગે રગાઈને મોંઘી મોંઘી હોટેલોમાં વરવા નાચગાન કરી,પાર્ટીઓની મોજ માણતા હોય છે ત્યારે મહેન્દ્રનગર પાસે આવેલ હરિ ગુણ રેસીડેન્સીની અંદર રહેતા તમામ વ્યક્તિઓએ સસ્કૃતિના શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી યજ્ઞ કરીને નૂતન વર્ષને આવકારી પ્રેરદાયી પગલું ભર્યું છે અને સમાજને નવો રાહ ચીંધ્યો છે.
યજ્ઞના યજમાન પદ બિલ્ડર રાજેશભાઈ આદ્રોજા તરફથી કરવામાં આવ્યુ યજ્ઞનું આયોજન વ્યવસ્થાપન મહાદેવભાઇ રંગપરિયા આચાર્ય મહેન્દ્રનગર પ્રાથમ શાળા તથા રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું અને જે માસમાં હરિગુણ સોસાયટીમાં રહેતા જે જે વ્યક્તિઓનો જન્મ દિવસ આવતો હોય એમના બધાના જન્મ દિવસની અનોખી ઉજવણી દર માસના અંતિમ દિવસે ગાયત્રી યજ્ઞ ચાલુ જ રહેશે એવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી સૌ ભણે,સૌ આગળ વધેના ધ્યેય સૂત્ર સાથે વર્ષ 2001/02 માં સમગ્ર શિક્ષા અભિયાનની શુભ શરૂઆત થયેલ હતી,એ સમયે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિનિયુક્તિથી સીઆરસી બીઆરસી તરીકે નિમણુંક આપવાની એસએસએ દ્વારા શરૂઆત કરવામાં આવેલ.
આ ટીમે વર્ષ 2017 સુધી સમગ્ર શિક્ષા અભિયાનના અનેક કાર્યક્રમો જેવા કે વિસ દિવસીય શિક્ષક...
માળીયા મીંયાણામા રહેતા યુવકને એક શખ્સ સાથે આગલા દિવસે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સો ક્રેટા કારમાં આવી યુવક સાથે બોલાચાલી ઝઘડો કરી યુવકને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધરીયા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઇ...
સૌરાષ્ટ્રમાં મોરબી અને કચ્છ જીલ્લાએ ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે તેમા પણ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્ર હોવાથી પ્રવાસીઓ બહોળી સંખ્યામાં કચ્છની મુલાકાત લેતા હોય છે ત્યારે તેમની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખી રાજકોટ ભુજ વચ્ચે માર્ચ-જુનમાં શરૂ કરેલી ખાસ ટ્રેન બંધ કરવામાં આવી હતી તેને ફરીથી સમય મર્યાદામાં અઠવાડીયામાં...