મોરબી જિલ્લામાં સરકારી આરોગ્ય સેવા વર્ષોથી કથળેલ હાલતમાં છે પાંચ તાલુકાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં જિલ્લો બન્યાના બાદ પણ સવલતો અને કામગીરી તાલુકા કક્ષાની હોસ્પિટલ જેવી હોય તેવું લાગી રહ્યું છે
મોટા ભાગની તબીબોની જગ્યા વર્ષોથી ખાલી હોય,સાધનોનો અભાવ હોય આ ઉપરાંત ઔધોગિક જિલ્લામાં મેડિકલ કોલેજની તાતી જરૂરિયાત હોવાથી અનેક રજુઆત કરી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બ્રીજેશભાઈ મેરજાએ પણ પેટા ચૂંટણી વખતે જોરશોરથી મેડિકલ કોલેજને મંજુરી મળી હોય હવે જિલ્લાને આરોગ્ય સગવડ મળશે તેવા પણ મસમોટા દાવા કરવામાં આવ્યા હતા તેમજ મત પણ મેળવ્યા હતા જોકે આજ બ્રીજેશ મેરજા જીતી ગયા અને બાદમાં મંત્રી બની ગયા હતા જોકે મંત્રી બન્યા બાદ મેડિકલ કોલેજનો મ બોલવાનું પણ જાણે બંધ કરી દીધું હતું જિલ્લાને 2 વર્ષ સુધી મેડિકલ કોલેજના સપના દેખાડી અચાનક જ સરકારે મેડિકલ કોલેજ છીનવી લીધી અને હવે આ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.સરકાર દ્વારા કયા કારણોસર આ નિર્ણય લીધો તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી
આ અંગે રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીમાંથી મેડીકલ કોલેજ છીનવાઈ નથી પરંતુ તેનો પ્રકાર બદલાયો છે અગાઉ મંજુર થયેલ મેડીકલ કોલેજ ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ હતી જે મુજબ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજની સ્થાપના સરકાર કરતી હતી અને સંચાલન ગુજરાત મેડીકલ રીસર્ચ એંડ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું જયારે મોરબીને બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ મળશે જેમાં સરકાર પ્રાઈવેટ સંસ્થાઓને મેડીકલ કોલેજનું સંચાલન સોપશે અને હોસ્પિટલ માજ મેડીકલ કોલેજ ચાલશે મોરબી જીલ્લામાં વધુ સારી અને આધુનિક સુવિધા મળશે
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...
મોરબી શહેરમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામા મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેના કારણે વ્યાજખોરો માથુ ઉચકી રહ્યા છે અને મનફાવે તેને ધમકીઓ આપી મારકુટ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા એક વેપારી યુવકે ચાર પાંચ મહિના પહેલા બાજુમાં આવેલ દુકાવાળા જીગાભાઈ સાથે...
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...